મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી ઓરબીટ કંપની ખાતે ૪૩ વર્ષીય શ્રમિકનું અચાનક મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી ઓરબીટ કંપનીમાં રહેતા સત્યવહન બેહરા ગોવર્ધન બેહરા ઉવ.૪૩નું ગઈકાલ તા.૨૦ મેના રોજ કોઈ અગમ્ય કારણોસર અચાનક મોત નિપજ્યું હતું. તેમને મરણ પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ પો.હેડ કોન્સ્ટેબલ એ.એમ. ગરીયા ચલાવી રહ્યા છે.






