હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામે ૨૦ વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસે મરણ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી અનીતાબેન માવજીભાઈ રાઠોડ ઉવ.૨૦એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમના છતના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં હળવદ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુના બનાવ મામલે હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






