મોરબી તાલુકાના બગથળા ગામે ૫૫ વર્ષીય મહિલાનું પોતાના ઘરના પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
બગથળા ગામે રહેતા લીલાવતીબેન મગનભાઈ સાણંદીયા ઉવ.૫૫નું ગઈકાલે તા.૧૬ જૂનના રોજ પોતાના ઘરના પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. તેમને મરણ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.






