મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એન્ટીલા સિરામિક નજીક આવેલા તળાવમાં ૧૮ વર્ષીય યુવકનું ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એન્ટીલા સિરામિક પાસે આવેલા તળાવમાં સંજયભાઈ નંદકિશોરભાઈ બાલમુચુ ઉવ.૧૮ રહે. બેલા એન્ટીલા સિરામિક વાળો કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મોરબી ફાયર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






