વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ઝેરી જીવજંતુ કરડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા મૂળ ઉત્તર પ્રદેશના ૩૮ વર્ષીય શ્રમિકનું મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના બાગપત જીલ્લાના કિરઠલ ગામના વતની હેદરઅલી શ્યામુદ્દીન ચૌધરી ઉવ.૩૮ને ગત રાત્રે ડાબા કાનના ભાગે ઝેરી જીવજંતુ કરડ્યું હતું. જે બાદ તેમને સારવાર માટે વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






