Thursday, August 20, 2026
HomeGujaratમોરબી મનપા સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટે યોજાશે

મોરબી મનપા સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટે યોજાશે

સંકલન સમિતિની ઓગસ્ટ-૨૦૨૬ની બેઠકમાં વિવિધ વિકાસકામો અને ટેક્સ વ્યાજ માફી યોજના સહિતના મુદ્દાઓની સમીક્ષા થશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની ઓગસ્ટ-૨૦૨૬ની બેઠક તા.૨૧ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યે મહાનગરપાલિકા કચેરીના ત્રીજા માળે સભાખંડમાં યોજાશે. બેઠકમાં ગત મીટિંગના મિનિટ્સ, વિકાસકામોની પ્રગતિ, અરીહંત સોસાયટીના કામની દરખાસ્ત તથા ટેક્સ વ્યાજ માફી યોજના અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની માહે ઓગસ્ટ-૨૦૨૬ની બેઠક તા.૨૧/૦૮/૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ગાંધી ચોક ખાતે આવેલી મહાનગરપાલિકા કચેરીની નવ નિર્મિત ઇમારતના ત્રીજા માળે આવેલા સભાખંડમાં યોજાનાર છે. બેઠકમાં સમિતિના સભ્યો, પદાધિકારીઓ તથા અધિકારીઓને સમયસર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. બેઠકમાં સૌપ્રથમ ગત બેઠકના મિનિટ્સને બહાલી આપવા અંગે ચર્ચા થશે. ત્યારબાદ તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ની સંકલન સમિતિમાં રજૂ થયેલા ગ્રામ પંચાયતોના સ્વભંડોળના કામો તથા ૧૫મા નાણાપંચના કામોના ઠરાવ નંબર સહિતના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરવામાં આવશે.

આ ઉપરાંત અરીહંત સોસાયટીના કામની દરખાસ્ત અંગેની વિગતો તેમજ મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ પહેલાંના ટેક્સ પર વ્યાજ માફી યોજના હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી અંગેની વિગતો પણ બેઠકમાં રજૂ કરવામાં આવશે. સંબંધિત શાખા અધ્યક્ષોને સમગ્ર વિગતો સાથે બેઠકમાં હાજર રહેવા તેમજ પ્રશ્ન-ફરિયાદ સંબંધિત જરૂરી સાધનિક કાગળો સાથે હાજરી આપવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સંજોગોમાં ગેરહાજર રહેવું પડે તો મ્યુનિસિપલ કમિશનરની અગાઉથી મંજૂરી મેળવી પ્રતિનિધિને હાજર રાખવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!