Tuesday, September 15, 2026
HomeGujaratહળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

હળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે પાણીની બોટલ સમજી ભૂલથી એસિડ પી જતાં ૭૭ વર્ષીય વૃદ્ધની તબિયત લથડી હતી. ત્યારે મોરબીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદના પ્રતાપગઢ ગામે તા.૦૭/૦૯/૨૦૨૬ના બપોરે મગનલાલ અરજણભાઈ ફુલતરીયા ઉવ.૭૭એ પાણીની બોટલ સમજી ભૂલથી એસિડ પી લેતા તેમને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના પુત્ર કાંતિલાલ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!