Tuesday, April 30, 2024
HomeGujaratગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સોમવારે નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પનું આયોજન

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સોમવારે નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પનું આયોજન

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા સમાજના ૪૫ વર્ષથી ઉપરથી વધુ વયના જ્ઞાતિજનો માટે તારીખ ૧૨ એપ્રિલને સોમવારે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા દરમ્યાન સદ્દભાવના હોલ, કારીયા સોસાયટી, વાવડી રોડ મોરબી ખાતે ૧૨ તારીખને સોમવારે નિઃશુલ્ક કોવિડ વેકસિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક રસીકરણ કેમ્પમાં જતાં સમયે આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. રસી લેવા જતાં પૂર્વે જમીને અથવા નાસ્તો કરીને જવું જરૂરી છે. સ્થળ પર માસ્ક પહેરવાં તેમજ સામાજિક અંતર જાળવી રાખવા તથા કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સનું સંપૂર્ણપણે ચુસ્ત પાલન કરવા આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!