Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના લગઘીરનગર ગામે સામાન્ય બાબતે વૃદ્ધાને બે શખ્સોએ માર માર્યાની નોંધાઈ ફરિયાદ

મોરબીના લગઘીરનગર ગામે સામાન્ય બાબતે વૃદ્ધાને બે શખ્સોએ માર માર્યાની નોંધાઈ ફરિયાદ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લગધીરનગર ગામે રહેતા મોંઘીબેન કેશુભાઈ જાદવ(ઉ.વ.૬૦) એ આરોપીઓ દિપકભાઈ વિરજીભાઈ જાદવ તથા અરવિંદભાઈ વિરજીભાઈ જાદવ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧ મે નાં રોજ રાત્રિનાં સાડા નવેક વાગ્યાનાં સમયે ફરિયાદી આરોપીઓને પોતાના પ્લોટમાં નાંખેલા લાંકડા લઈ લેવાનું કહેતા આરોપીઓને સારૂ નહીં લાગતા ફરિયાદીને ગાળો આપતા ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ જઈ આરોપીઓએ ફરિયાદીની સાથેનાં મહેશભાઈ સાથે ઝપાઝપી કરી મુંઢ ઈજા કરી હતી તથા આરોપી દિપકભાઈએ ફરિયાદી મોંઘીબેનને માથામાં નળીયુ મારી ઈજા પહોંચાડી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!