Saturday, April 20, 2024
HomeGujaratમોરબીનાં મકનસર પાસે અકસ્માતની ઘટનામાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબીનાં મકનસર પાસે અકસ્માતની ઘટનામાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-વાંકાનેર વચ્ચે આવેલ સરતાનપર રોડ ઉપર આવેલ સ્પેકટ્રમ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહારના વતની નંદનકુમાર પ્રદીપભાઇ રાવત(ઉ.વ.૨૩) નામના પરપ્રાંતીય શ્રમિકે ટ્રક નં. જીજે-૧૨-ટી-૭૩૮૦ નાં ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૮નાં મોડી સાંજના સમયે પોતાના બાઈક નં. જીજે-૩૬-ઈ-૫૬૦૮ ઉપર ટ્રિપલ સવારીમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નં. જીજે-૧૨-ટી-૭૩૮૦ નાં ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી ફરીયાદીનાં બાઈકને હડફેટે લેતાં બાઈક પર પાછળ બેઠેલા મુકેશભાઈ મોહનભાઈ પાસવાનને શરીરે તથા માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું જ્યારે બાઈકમાં સવાર બ્રિજેશ યાદવ તથા ફરીયાદી નંદનકુમાર રાઉતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી આરોપી ટ્રક મુકી નાસી છૂટયો હતો.મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!