Friday, April 26, 2024
HomeGujaratમોરબીની ધર્મનગર સોસાયટીમાં બે મકાનમાં નિશાચરોએ કળા કરી

મોરબીની ધર્મનગર સોસાયટીમાં બે મકાનમાં નિશાચરોએ કળા કરી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રાજપર રોડ પર ધર્મનગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે બે ઘરોમાં ચોરી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. એક ઘરમાંથી તસ્કરો ચાંદીના સાંકળા, સોનાની બુટ્ટી તથા 5-7 હજાર રોકડની ચોરી કરી ગયા હતા. તેમજ અન્ય ઘરમાં પણ તસ્કરોએ ચોરી કરી બધો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જો કે બીજા ઘરમાંથી શું ચોરી થયું તેની વિગતો મળી નથી.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તસ્કરોએ આ સોસાયટીમાં બે-ત્રણ વાર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે બે ઘરોમાં ચોરી થઇ હતી. આથી, સ્થાનિકોમાં તસ્કરોનો ભય ફેલાયો છે. તેમજ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!