Saturday, April 20, 2024
HomeGujaratમોરબીનાં મહેન્દ્રનગર નજીક સોસાયટીમાં થયેલ ચોરી મામલે ફરિયાદ નોંધાઈ

મોરબીનાં મહેન્દ્રનગર નજીક સોસાયટીમાં થયેલ ચોરી મામલે ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી રોડ પર આવેલ રોયલપાર્કમાં રહેતા રજનીકાંત ગંગારામભાઈ કુણપરાએ ફરિયાદ નોંધાવી છે કે તેના મકાનમાં ગત તા.૬ ના રાત્રીના સમયે ચાર અજાણ્યા ઇસમોએ લોકનાં નકુચા તોડી પ્રવેશ કરી મકાનમાં રાખેલ ચાંદીના દાગીના આશરે ૪૦ ગ્રામ કિં.રૂ.૩૦૦૦/- , સોનાના દાગીના આશરે ૧૭ ગ્રામ કિં.રૂ.૫૫,૦૦૦/- તથા રોકડ રૂ. ૧૦,૦૦૦/- તેમજ મનસુખભાઈ લાલજીભાઈ બેરાના મકાનમાંથી રોકડ રૂ. ૧૧,૦૦૦/- અને બળદેવભાઈ મગનભાઈ સેરસીયાના મકાનમાંથી રોકડ રૂ.૧૨,૦૦૦/- એમ કુલ કિંમત રૂ.૯૧,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા હતાં. મોરબી બી ડીવીઝન પોલીસે ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!