Friday, March 29, 2024
HomeGujaratમાળીયા ફાટક ઓવરબ્રિજ પર અકસ્માતમાં બે કૌટુંબિક ભાઈઓના મોતની ઘટનામાં અજાણ્યા વાહનચાલક...

માળીયા ફાટક ઓવરબ્રિજ પર અકસ્માતમાં બે કૌટુંબિક ભાઈઓના મોતની ઘટનામાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો

મૃતકના પિતાની ફરિયાદ પરથી બી ડિવિજન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ પર ગઈકાલે સવારે અકસ્માતમાં બે કૌટુંબિક ભાઈઓના મોતની ઘટનામાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો છે. બન્ને મૃતકો પૈકી એકના પિતા પરેશભાઇ મગનભાઇ બજાણીયા (ઉં.વ.૪૭, ધંધો વાણંદકામ રહે. હાપા રેલ્વે સ્ટેશન પાસે વેલનાથ સોસાયટી તા. જી. જામનગર) એ અજાણ્યા વાહનચાલક સામે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિકરા રૂત્વીકભાઇ પરેશભાઇ બજાણીયા (ઉ.વ.૨૦) તથા ભત્રીજા હાર્દીકભાઇ ધીરેન્દ્રભાઇ બજાણીયા (ઉ.વ.૧૯) બાઇકમાં ગઈકાલે ઘુંટુ ગામથી સો ઓરડી વિસ્તારમાં પિતૃકાર્ય માટે જઈ રહ્યા હતા. ત્યારે માળીયા ફાટક ઓવરબ્રીજ ઉપર વાકાનેર તરફ જતા રસ્તે પુર ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે આ બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને કૌટુંબિક ભાઈઓના મોત નિપજ્યા હતા. આ બનાવની ફરિયાદ પરથી બી ડિવિજન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!