Friday, May 17, 2024
HomeGujaratસ્વ.ડાયાભાઈ ગણેશભાઈ પનારાની બારમી પુણ્યતીથી નિમીતે આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

સ્વ.ડાયાભાઈ ગણેશભાઈ પનારાની બારમી પુણ્યતીથી નિમીતે આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

મોરબીમાં સ્વ.ડાયાભાઈ ગણેશભાઈ પનારાની બારમી પુણ્યતીથી નિમીતે આંખના નિષ્ણાત સર્જન ડૉ. મેહુલ પનારા એમ.બી.બી.એસ., ડી.ઓ.એમ.એસ. (ઓપ્થલ) દ્વારા આગામી તા. ૨૫/૧૨/૨૦૨૨ના રોજ નિઃશૂલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી રહેશે

- Advertisement -
- Advertisement -

આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, નાસુરની તપાસ આ નિદાન કેમ્પમાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પ દરમિયાન નિદાન કરેલ મોતિયાના ઓપરેશન રાહતદરે (ટાંકાવગરના ફેકો મશીન દ્વારા) તથા નેત્રમણી આરોપણ મોરબીના આંખના સર્જન દ્વારા આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં જોડાવવા માટે લોકોએ અગાઉ ફોન ઉપર અપોઇમેઇન્ટ લેવી ફરજીયાત છે. તેમજ આ કેમ્પ વિઝન આંખની હોસ્પિટલ, નક્ષત્ર હાઇટ્સ, વોડાફોન સ્ટોરની પાછળ, ડો. રૂપાલા સાહેબની હોસ્પિટલની સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!