Tuesday, April 23, 2024
HomeGujaratહળવદ માં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી ની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે...

હળવદ માં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી ની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો પર નિકળી

ડીજે ના તાલે સાથે ભગવાન કૃષ્ણ નગરચયૉ નીકળ્યા,બે વર્ષ બાદ યોજાયેલ શોભા યાત્રામાં મોટીસંખ્યામાં માનવ મહેરામણ ઉમટયો,શોભાયાત્રા પૂર્ણાહુતિ સમયે અનુસૂચિત સમાજ ની બાળાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી ઉતારી સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિ ભાવપૂર્વક ઉજવાય રહ્યો છે ત્યારે હળવદમાં કૃષ્ણ ભક્તોમાં અપ્રિતમ ઉતસાહ જોવા મળ્યો, જન્માષ્ટીના પાવન પર્વને લઈને હળવદ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મોટી સંખ્યામાં માનવ મેહારમણ ઉમટી પડ્યો હતો.વિશ્વહિન્દૂ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત 34 મી શોભાયાત્રા આ શોભાયાત્રા રાધા કૃષ્ણ મંદિર મોરબી દરવાજા થી પ્રસ્થાન કરી હળવદ શહેર માં મુખ્ય માર્ગો થઈ આંબેડકર સર્કલ સુધી પહોંચેલ આ શોભાયાત્રા માં 15 થી વધુ ફ્લોટ્સ રાસમંડળી હુડો લાઠીદાવ તલવાર બાજી અંગકસરત ના દાવ ગામ ના યુવાનો તેમજ શિશુ મંદિર ની બાળાઓ દ્વારા રાસ તેમજ અંગ કસરત ના કરતબ રજૂ કરેલ.

વિવિધ મંડળો દ્વારા ઠંડાપીણા સરબત ચા ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, શોભાયાત્રા ના સમાપન માં નાળીયા સમાજ ની બાળાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી ઉતારી હિંદવા સહોદરા ન હિન્દૂ પતિત ભવે ના સૂત્ર ને સાર્થક કરતો સમરસતા નો સંદેશ સમાજ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ આ કાર્યક્રમ માં વિવિધ રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ અને હૈયે હૈયું દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

આ શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી,હળવદ પીઆઇ એમ વી પટેલ તથા સ્ટાફે એ કાયદો અને વ્યવસ્થા જાળવવા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, હળવદ નગરપાલિકા સ્વચ્છતા સૈનિકો દ્વારા શોભાયત્રા ના રૂટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ધામધૂમ પૂર્વક જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે પાટીદાર અગ્રણી જશુભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રણછોડભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, અજયભાઈ રાવલ, હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, વિજયભાઈ જાની, વલ્લભભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, જન્માષ્ટમી શોભાયાત્રા ના અધ્યક્ષ ડો. મિલનભાઈ માલપરા બજરંગદળના સંયોજક ભાવેશભાઈ ઠક્કર, પરસોતમભાઈ સાબરીયા, ધીરુભાઈ ઝાલા સહિતનાઓએ નગરપાલિકાના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો ઉપરાંત અનેક સંતો મહંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!