Sunday, April 28, 2024
HomeGujaratવાંકાનેરના તીથવા ગામેં ઢોર તગડવા જેવી બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ

વાંકાનેરના તીથવા ગામેં ઢોર તગડવા જેવી બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ

વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલશા નગર વિસ્તારમાં ઢોર તગડવા જેવી બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થતા ઢોર માલિક સહિત અન્યએ ઉશ્કેરાઇ જઇ મહિલા અને તેની દીકરીને લાકડી વડે માર મર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ તીથવા ગામે લાલશા નગરમા રહેતા રૂકશાનાબેન યુસુફભાઇ સતારભાઇ શેખ (ઉ.વ. ૩૭)ના પાડોશી કંકુબેનની પૈાત્રી જાનુ શેરીમાં રમતી હતી તે દરમ્યાન ભરત ભરવાડ પોતાના માલઢોર લઇ નીકળ્યો હતો. તે વખતે કંકુબેનની પૈાત્રી જાનુ ગાયોને તગળતા ઢોર માલીક ભરતને સારૂ ન લાગતા ગાળો બોલવા લાગ્યો હતો આથી રૂકશાનાબેન ભરતને ગાળો બોલવાની ના પાડતા ભરતે ઉશ્કેરાઇ જઇ અને તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા રૂકશાનાબેનને જમણા હાથે માર્યો હતો આ દરમિયાન તેઓની દીકરી સુગરાને પણ જમણા હાથમાં ઘા મારેલ તથા ગરદન ના ભાગે વાગેલ જેથી સામાન્ય મુંઢ ઇજા કરી તથા સહ આરોપીઓ ગાળો બોલી જાનથી મારી નાખવાની ઘમકી આપતા રૂકશાનાબેને ભરતભાઇ જીવણભાઇ, જશુબેન, મંગાભાઇ પરબતભાઇ,સાદુરભાઇ કુંભા ભરવાડ રહે. બધા તીથવાવાળાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!