Saturday, July 27, 2024
HomeGujaratરામ જન્મોત્સવ નિમિત્તે યોજાનાર શોભાયાત્રાને લઈ રામ જન્મોત્સવ સમિતિ દ્વારા બેઠક બોલાવાઇ

રામ જન્મોત્સવ નિમિત્તે યોજાનાર શોભાયાત્રાને લઈ રામ જન્મોત્સવ સમિતિ દ્વારા બેઠક બોલાવાઇ

ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો, તેથી દર વર્ષે ચૈત્ર નવરાત્રિની નવમીએ રામ નવમી ઉજવવામાં આવે છે. તેમજ દર વર્ષે રામ જન્મોત્સવ નિમિત્તે રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શુભયાત્રાને લઈ આવતીકાલે રામ જન્મોત્સવ સમિતિ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગ બોલાવાઇ હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજ રોજ મોરબી સર્વે સનાતન હિંદુ સમાજના નેજા હેઠળ, રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત આગામી તારીખ 30-3-2023 ના મોરબી ખાતે રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે આવતીકાલે રવિવારે 9:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, રામ ચોક પાસે, મોરબી નાગરિક બેંકની સામે એક અગત્યની મીટીંગ યોજવામાં આવી છે. જેમાં પધારવા વિવિધ સંસ્થાઓ, એસોસિએશન તથા મોરબી શહેરના તમામ મંદિરના પૂજારીઓ અને સાધુ સંતો, મોરબી શહેરની તમામ ભગિની સંસ્થાઓના પ્રમુખો અને તેમની કમિટી સભ્યોને બેઠકમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!