Monday, May 20, 2024
HomeGujaratવાંકાનેરના ભલગામે ગાયો ખેતરમાં ચરવા જતા તેમના માલિકને સમજાવવા ગયેલ આધેડ પર...

વાંકાનેરના ભલગામે ગાયો ખેતરમાં ચરવા જતા તેમના માલિકને સમજાવવા ગયેલ આધેડ પર ચાર શખ્સોનો હુમલો

વાંકાનેરના ભલગામે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જેમાં એક આધેડના ખેતરમાં ગાયો ઘુસી જતા તેમને ખેતરમાંથી બહાર કાઢી ગાયોના માલિકને સમજાવવા ગયેલ આધેડ પર ચાર શખ્સોએ હુમલો કરતા આધેડ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના ભલગામે રહેતા ભુપતભાઇ કેશાભાઇ ભાલીયા નામના આધેડના ખેતરમાં મોમૈયાભાઇ ધનાભાઇ સુસરા ભરવાડની ગાયો ચરવા જતા તેમને ભુપતભાઇના ભાઈએ બહાર કાઢી મૂકી હતી. જેને લઇ ભુપતભાઇ આરોપી મોમૈયાભાઇ ધનાભાઇ સુસરા ભરવાડ તથા ગોપાલભાઇ મોમૈયાભાઇ સુસરા ભરવાડને સમજાવા જતા બન્નેએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી વિહાભાઇ રૂખડભાઇ ભરવાડ નામના આરોપીએ ફરિયાદી પર છુટા પથ્થર ઘા મારી નાકે તથા આખ પાસે ઇજા પહોંચાડતા આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!