Friday, April 19, 2024
HomeGujaratમાળિયા-હળવદ રોડ ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે ટ્રકચાલકે રાહદારી આધેડને હડફેટે લેતા...

માળિયા-હળવદ રોડ ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે ટ્રકચાલકે રાહદારી આધેડને હડફેટે લેતા આઘેડનું મોત

મોરબી : અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શિવરાજ ઉર્ફે શિવાજી ચંદ્રકાંત બુરસે (ઉ.વ.૨૦, ધંધો-ટ્રાન્સ્પોર્ટ, રહે. શિરડ શાહપુર, તા.ઔઢા નાગનાથ, જીલ્લો.હિંગોલી, હાલ રહે દિગ્રેસ મહારાષ્ટ્ર)એ આરોપી કોઈ અજાણ્યો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ ના રોજ ખાખરેચિ ગામના પાટિયા પાસે માળિયા-હળવદ રોડ જેતપર પાસે કોઈ અજાણ્યા ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચાલવી ફરીયાદીના કુટુમ્બી મામા દિપકભાઈ મુંજાજી અકમાર રોડ ક્રોસ કરવા જતા હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી તેને માથામા તથા બન્ને હાથ તથા બન્ને પગમા ગંભીર ઈજા કરતા રાજકોટ સીવીલ હોસ્પિટલમા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી આરોપી ટ્રક લઈને નાસી છૂટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!