Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેરમાં કારખાનાના પહેલા માળેથી પટકાતા મજૂરનું સારવારમાં મોત નીપજ્યું

વાંકાનેરમાં કારખાનાના પહેલા માળેથી પટકાતા મજૂરનું સારવારમાં મોત નીપજ્યું

વાંકાનેરમાં બલિજાડના કારખાનામાં કામ કરતા મધ્ય પ્રદેશના વતની એવા મજુરનુ પહેલા માળેથી અકસ્માતે પટકાતા અમદાવાદ સારવાર દરમિયાન મોત થયાનું પોલીસ મથકમાં જાહેર થયુ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરથી ૮ કી. મી. દુર બલિજાડના કરાખાના કામ કરતા અને મુળ મધ્ય પ્રદેશના મજુર આધેડ કરણસીગ ધનાભાઈ ડામોર ( ઉ.વ.૫૦) કારખાનામાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન પહેલા માળેથી પડી જતા તેઓને ગંભીર ઇજા થવા પામી હતી.જેની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જયા સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું. આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!