Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના શનાળા ગામે માનસીક બિમારીથી કંટાળી કુવામાં ઝંપલાવી યુવાનનો આપઘાત

મોરબીના શનાળા ગામે માનસીક બિમારીથી કંટાળી કુવામાં ઝંપલાવી યુવાનનો આપઘાત

મોરબીના શનાળા ગામે કુવામાં ઝંપલાવી યુવાને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગના પ્રીતેશ નગવાડિયા, કાર્તિક ભટ્ટ, કુલદીપસિંહ રાણા, વસીમ મેમણ, પેથાભાઈ મોરવાડિયા, હિતેશ દવે અને વિપુલભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક હિતેશભાઈ ખીમજીભાઈ સનારીયા (ઉ.વ.૩૮, રહે. શક્ત શનાળા) હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો માંથી મળતી માહિતી મુજબ મૃતક છેલ્લા ત્રણ ચાર વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હોય તેની દવા ચાલતી હોય દરમ્યાન માનસીક બિમારીથી કંટાળી કુવામાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!