Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેરમાં મોબાઈલ બાબતે થયેલ ઝઘડામાં યુવકને છરીના ઘા ઝીંકાયા

વાંકાનેરમાં મોબાઈલ બાબતે થયેલ ઝઘડામાં યુવકને છરીના ઘા ઝીંકાયા

મોરબીના વાંકાનેરમાં મોબાઇલ લેવા જેવી નજીવી બાબતે થયેલ ઝગડામાં એક ઈસમે યુવાને છરીના ઘા મારતા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જેની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે યુવકે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકોનર સ્મશાન પાસે આવેલ ભાટીયા સોસાયટીમાં રહેતા શાહરૂખભાઇ ઇકબાલશા દીવાને તેના મીત્ર દીપુભાઇનો મોબાઇલ વાંકાનેરની જલારામ જીન પાસે રહેતા અલ્તાફભાઇ દીલાવરભાઇ ખેરડીયા ઉર્ફે કડીને જોવા દીધેલ હતો. અને તે બાબતે દીપુના કહેવાથી ફરિયાદી શાહરૂખે મોબાઇલ બાબતે આરોપીને બોલેલ જે આરોપીને સારૂ નહીં લાગેલ અને ફરિયાદીએ આરોપી પાસેથી મોબાઇલ દીપુને પરત અપાવેલ તે બાબતે આરોપીએ શાહરૂખને “દીપુને મોબાઇલ કેમ પાછો અપાવેલ” તેમ કહીને ગાળો આપેલ ત્યારે ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી અલ્તાફ ઉશ્કેરાય ગયેલ અને તેના નેફામાથી છરી કાઢી ફરિયાદીના પેટના ભાગે મારતા ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે આઇ.પી.સી. કલમ-૩૨૪,૫૦૪, તથા જી.પી. એકટ. કલમ-૧૩૫ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!