Saturday, April 27, 2024
HomeGujaratમાળીયા મિયાણાં પંથકમાં પ્રોહીબિશનના ગુન્હાના આરોપીને પાસા તળે અમદાવાદ જેલ હવાલે કરાયો

માળીયા મિયાણાં પંથકમાં પ્રોહીબિશનના ગુન્હાના આરોપીને પાસા તળે અમદાવાદ જેલ હવાલે કરાયો

માળીયા મિયાણાં તાલુકામાં પ્રોહીબિશન અંગેના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ ને દબોચી લઈ પોલીસે પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે ધકેલી દિધો હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા ( મી ) પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુન્હામાં પોલીસ ચોપડે ચડેલ આરોપી જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ .૪૮ રહે.વિવેકાનંદનગર , મોટા દહીસરા ગામ તા . માળીયા મીયાણા) ની વિરૂધમા પાસા પ્રપોઝલ તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટે આ ઇસમને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા માળીયા મિયાણાં પોલીસે આરોપીને શોધી કાઢી માળીયા મી પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી કોરોના ટેસ્ટ કરાવતા કોરોના ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને પાસા હુકમની બજવણી પાસા તળે અટકાયત કરી આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!