Monday, April 29, 2024
HomeGujaratટંકારા પોલીસ મથકના હત્યાના ગુનામાં સાત માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ટંકારા પોલીસ મથકના હત્યાના ગુનામાં સાત માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સ બી.પી.સોનારાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આગામી વિધાનસભા ચુંટણી અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસની ટીમે ખુનના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સુચના અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ- ૩૦૨,૧૨૦બી,૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),(એ),૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી બાબતે ટંકારા પોલીસ સ્ટાફે સાથે મળી ૧૯ વર્ષીય આરોપી મનિષ સોનાસિગ યાદવને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!