Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં એક જ દિવસમાં અકાળે મોતનાં ત્રણ બનાવો નોંધાતા ખળભળાટ

મોરબી જિલ્લામાં એક જ દિવસમાં અકાળે મોતનાં ત્રણ બનાવો નોંધાતા ખળભળાટ

મોરબી જિલ્લામાં અકાળે મોતનાં બનાવોમાં દિનપ્રદિન વધારો થઇ રહ્યો છે. જેને કારણે વાહિવાતી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ મોતનાં બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહતી અનુસાર, મોરબીનાં ચકમપર ગામની સીમમાં રહેતા નરવતભાઇ લખમણભાઇ નાયક ચકમપર ગામની સીમ કેનાલ પાસે આવેલ પાણીની કેનાલમા કોઇ કારણો સર પડી જતા ડુબી જતા મરણ જતા જેઓની ડેડ બોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

જયારે અન્ય બનાવમાં ઉદયભાઇ રમેશભાઇ બાંભવા નામનો ૧૫ વર્ષીય કિશોરે કોઇ કારણોસર સીંધાવદરપાનીયા ડેમમા ગાત્રાળ નગર પાસે આવેલ પાણીના ડેમમાં ડુબી જતા સ્થાનિકો દ્વારા તેને બહાર કાઢી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.

જયારે જ્યારે ત્રીજા બનાવમાં  હળવદના અપહરણ, પોકસો દુષ્કર્મ અને એટ્રોસીટી કેસમાં કાચા કામના કેદી તરીકે મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલ આરોપી વિશાલ ગોબરભાઈ ચોવસિયાએ મોડીરાત્રે સબ જેલના બેરેક નંબર ૧૦ ના બાથરૂમમા ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, મરણ જનાર આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ અપહરણ અને પોકસો સહિતના કાયદા મુજબ ગુન્હો નોંધાયો હતો. તેમજ આપઘાતની ઘટના અંગે સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચ્ચે અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!