Friday, April 26, 2024
HomeGujaratમોરબીના થોરાળા ગામ નજીક એસન્ટ કાર પલટી ખાઈ જતાં ત્રણના મોત :...

મોરબીના થોરાળા ગામ નજીક એસન્ટ કાર પલટી ખાઈ જતાં ત્રણના મોત : પોલીસ ઘટના સ્થળે

મોરબીમાં અકસ્માત ના બનાવો દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે મોરબીના રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -


જેમાં એસન્ટ કાર ન.GJ-03-CA-4314 આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં સવાર બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બનાવની જાણ મોરબી તાલુકા ઈન્ચાર્જ પીઆઇ વિરલ પટેલને થતાં જ પોલીસની ટીમને ઘટના સ્થળે મોકલી અકસ્માતનું કારણ જાણવા કવયત હાથ ધરી છે. જેમાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના નામ મૃતકોના નામ રાજેશ ભાઈ મહેતા ઓરેન્જ પોલીપેક ચાચાપના કોન્ટ્રાક્ટર અને મનોજભાઈ અન્ય એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે હાલ ત્રણેય ના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવાર જનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!