Sunday, April 28, 2024
HomeGujaratમોરબી જલારામ મંદિર ખાતે પંડિત પરિવારના સહયોગથી ભજન સંધ્યાનું આયોજન કરાયું

મોરબી જલારામ મંદિર ખાતે પંડિત પરિવારના સહયોગથી ભજન સંધ્યાનું આયોજન કરાયું

મોરબી જલારામ મંદિર ખાતે જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા પ.પૂ. બાળવિદુષી રત્નેશ્વરીજીના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ધાર્મિક માહોલ બરોબરનો જામ્યો છે ગત તા.૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન કથા પ્રવાહમાં ભાવિકો ડૂબકી લગાવી ધન્યતા અનુભવશે ત્યારે આગામી તા.૨૯-૪-૨૦૨૨ને શુક્રવાર રાત્રે ૯ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ખ્યાતનામ ગાયક તથા ભજનીક રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણી & સાજીંદા ગૃપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત (સિમ્કો ગૃપ)ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં શહેરની ધર્મપ્રિય જનતાને પધારવા શ્રી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા જાહેર આહવાન કરાયું છે. આ અંગે વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬૮, અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬ તથા ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!