Tuesday, March 19, 2024
HomeGujaratમોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અકાળે મોતના બનાવો નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અકાળે મોતના બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અકસ્માત અને આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે પણ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતના બનાવો નોંધાયા હતાં.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઇ ટપુભાઇ કોરડીયા નામના આધેડને ગઈકાલે કોઈ બીમારી સબબ સારવારમાં પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા વાંકાનેર પોલીસ મથકે બનાવ ની નોંધ કરી હતી.

જયારે બીજા બનાવમાં મોરબીના વીસીપરા ખાતે રહેતા રસુલભાઇ અલારખાભાઈ કટીયા નામના આધેડ ગઈકાલે બેલા ગામ સીમમા આવેલ બેન્ટા સીરામીક ખાતે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેઓ પડી જતા આધેડને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું.જે બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!