Friday, March 29, 2024
HomeGujaratજડેશ્વર મહાદેવના પૂજન, અર્ચન થકી વાંકાનેરના મહારાજાની રાજતીલક વિધિનો પ્રારંભ

જડેશ્વર મહાદેવના પૂજન, અર્ચન થકી વાંકાનેરના મહારાજાની રાજતીલક વિધિનો પ્રારંભ

વાંકાનેરના આંગણે શિવરાત્રીના પાવન પર્વથી મહારાજા કેસરીદેવસિંહ ઝાલાની રાજતીલક વિધિ નિમિતેના પાંચ દિવસીય કાર્યક્રમના પ્રારંભ કરવામાં આવ્યો હોવાથી વાંકાનેર પંથકવાસીઓમા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાજતીલક વિધિના આ મંગલ અવસરના ભાગરૂપે મહારાજા કેસરીદેવસિંહ અને તેમના ધર્મપત્ની દ્વારા વાંકાનેર નજીક આવેલા પૌરાણીક જડેશ્વર મહાદેવ મંદિરએ પૂજા અર્ચના કરી રાજતીલક વિધિનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરને પગલે આજે મહાશિવરાત્રી માંડી આગામી પાંચ દિવસ સુધી વાંકાનેર પેલેસ ખાતે અલગ અલગ કાર્યક્રમો રજવાડી ઠાઠથી યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં અલગ અલગ રજવાડાના રાજ પરિવારો, અધિકારીઓ સહિતના હાજરી આપી કાર્યક્રમની શોભ વધારશે.આ પ્રસંગને પગલે વાંકાનેરની પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!