Saturday, April 27, 2024
HomeGujaratકોરોનાની વધતા સંક્રમણને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય : પરિસ્થિતિ નિયંત્રણમાં...

કોરોનાની વધતા સંક્રમણને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય : પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ

મોરબીમાં કોરોનાનાં વધતા કેસોને અટકાવવા સ્વૈચ્છિક તકેદારીના ભાગરૂપે હાલ મોરબીનું માર્કેટિંગ યાર્ડ બંધ છે. થોડા સમય અગાઉ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમુક સમય મર્યાદા માટે આ માર્કેટિંગ યાર્ડને બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી મોરબીના માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગનું ખરીદ-વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. જેની લાગતા વળગતા તમામે ખાસ નોંધ લેવી અને આ સમયગાળા દરમ્યાન ખેડૂતોએ તેમની ખેતપેદાશો યાર્ડમાં ન લાવવા અને આ અંગેની જાણ દરેક કમિશન એજન્ટોએ પોતાના ખેડૂતોને કરવાની રહેશે તેવું માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!