Friday, March 29, 2024
HomeNewsમોરબીના રવાપરથી ધુનડા, સજનપરથી જડેશ્વર સુધીના બિસ્માર રોડને નવો નકોર બનાવવા માંગ

મોરબીના રવાપરથી ધુનડા, સજનપરથી જડેશ્વર સુધીના બિસ્માર રોડને નવો નકોર બનાવવા માંગ

ટંકારા તાલુકાના સજનપર ગામથી પસાર થતા મોરબીના રવાપરથી ધુનડા, સજનપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડનું નવીનીકરણ કરવાની માંગ સાથે માર્ગ અને મકાન મંત્રી પૂર્વેશ મોદીને લેખિત રજુઆત કારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સજનપર ગામથી પસાર થતો મોરબી જવા માટેનો રવાપર-ધુનડા, સજનપર – જડેશ્વર સુધીનો આશરે ૨૦ કિ.મી. રોડમાં ઠેર ઠેર ગાબડા પડી જતા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ માર્ગ પાંચ વર્ષ પહેલા બનેલ હેાય જેમાં સતત ભારે વાહનોની અવરજવરને લઈને રોડની હાલ બિસ્માર હાલત છે. મોટા મોટા ગાબડા પડી ગયેલ છે. જે રોડ પર સવારી કરવી મુસાફરો અને બિમાર માણસો માટે માથાના દુઃખાવા સમાજ છે. જીલ્લા પંચાયત મોરબી આર. એન્ડ બી. વિભાગમાં તપાસ કરતા આ રોડ રાજ્ય સરકાર જતો રહેલ હોવાનું સામે આવતા રોડનું તાત્કાલીક નવીનીકરણ કરવા માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!