Thursday, April 25, 2024
HomeGujaratમાળિયાના બગસરા ગામે વીજ પોલ બદલાવવા અંગે ઊઠતી માંગ

માળિયાના બગસરા ગામે વીજ પોલ બદલાવવા અંગે ઊઠતી માંગ

માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલ વીજ પોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિમાં હોવાથી ગામના સરપંચ ગૌરીબેન નાગજીભાઇ પીપળીયાએ પીજીવીસીએલ કચેરીમાં રજુઆત કરી છે.ગૌરીબેને કરેલી રજુઆતમાં જણાવ્યું કે સરકાર દ્વારા અગાઉ નાખેલા પોલને લાંબા સમયના વ્હાણાં વિતી ગયા હોવાથી તે ખખડધજ હાલતમાં ઉભા છે. આથી ગામની મેઇન બજારના તથા પીપળીયા વાસમાં અને પ્લોટ વિસ્તારમાં અને મગન ખોડાભાઇ અખિયાણીની શેરીમાં પોલ અને આખા ગામમાં વાયરીંગ ઉંચા લેવા તથા પોલ બદલાવવા ગ્રામજનોની માંગ છે.આમ કોઈ મોટો અકસ્માત બને અને જનમાલની નુકસાની થાય તે પહેલા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી અંતમાં રજૂઆત કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!