Friday, May 10, 2024
HomeGujaratમાળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ટ્રક પાછળ આઇસર ઘુસી જતા ચાલકનું મોત

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ટ્રક પાછળ આઇસર ઘુસી જતા ચાલકનું મોત

માળીયા(મી)ના હમીરપર ગામ નજીક હાઇવે રોડ ઉપર પુરપાટ ઝડપે ચલાવી જતા આઇસર ગાડીના ચાલકે આગળ જતા ટ્રકના ઠાઠામાં પોતાની આઇસર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં આઇસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અમદાવાદના ટ્રાન્સપોર્ટર એવા આઇસરના માલિકે મૃતક આઇસર ચાલક વિરુદ્ધ સમગ્ર અકસ્માત મામલે માળીયા મી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર અમદાવાદ મોહમદયાસીન સોસાયટીની સામે સરખેજમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હસનભાઇ અભરામભાઇ મુસેવાળા ઉવ.૫૦એ માળીયા(મી) પોલીસ મથકમાં આઇસર ચાલક નાનુલાલ પેમાભાઇ રાવત ઉવ.૪૯ રહે.ગામ-બરોઠી હકકરોલ ફલા તા.પ્રસાદ જી.ઉદેપુર (રાજસ્થાન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે તા.૩૧/૦૩ના રોજ રાત્રીના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં આરોપી નાનુલાલે પોતાના હવાલાવાળી આઇસર ગાડી રજી નં. જીજે-૦૧-ડીવી-૫૮૭૬ પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાની તથા બીજાની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી આગળ જતા કોઇ અજાણ્યા ટ્રક ટ્રેઇલર સાથે ભટકાડતા નાનુલાલને પેટ,છાતી તથા બંન્ને પગના ભાગે ગંભીર ઇજા થતા મરણ ગયાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે મૃતક આઇસર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!