Saturday, April 20, 2024
HomeGujaratખોખારો ખાવામાં પણ માર પડે? માળીયા(મી)ના નાની બરાર ગામે એક ઈસમે વૃધ્ધને...

ખોખારો ખાવામાં પણ માર પડે? માળીયા(મી)ના નાની બરાર ગામે એક ઈસમે વૃધ્ધને માર માર્યો

માળીયા મીં.માં વધુ એક અસામાજિક તત્વના આતંકની ઘટના સામે આવી છે. જેમાં પોતાની દુકાને જતા વૃદ્ધને ઉધરશ આવતા ખોખારો ખાતા આરોપીએ “ખોખારો શુ ખાસ” કહી ઈસમે વૃદ્ધને ઢોર માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે વૃધ્ધે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી.ના નાની બરાર ખાતે રહેતા રામભાઇ નરશંગભાઇ ડાંગર નામના વૃદ્ધ ગઈકાલે સવારના સમયે પોતાની દુકાને જતા હોઇ રસ્તામા ઉધરશ આવતા ખોખારો ખાતા ચંદુભાઇ પરબતભાઇ બકુતરા (રહે. નાની બરાર) નામના શખ્સે ખોખારો શુ ખાસ તેમ કહી વૃદ્ધને બીભત્સ ગાળો બોલતા વૃધ્ધે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને છાતીમા ઘુસ્તો મારી પાડી દઇ ઢીકા પાટુનો માર મારી ગાલ ઉપર બે-ત્રણ લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!