Wednesday, April 24, 2024
HomeGujaratEXCLUSIVE મિસ્ટ્રી: ૧.૨૦ કરોડની લૂંટ કરનાર આરોપીઓ સુધી મોરબી પોલીસ કઈ રીતે...

EXCLUSIVE મિસ્ટ્રી: ૧.૨૦ કરોડની લૂંટ કરનાર આરોપીઓ સુધી મોરબી પોલીસ કઈ રીતે પહોંચી ? ટિપ્સ આપનાર પરથી સમગ્ર ભાંડો ફૂટ્યો ! લૂંટ કરી અજમેર નાસી ગયા હતા.!!!

મોરબીમાં દલવાડી સર્કલ નજીક 1.20 કરોડની લૂંટના આરોપીઓ પોલીસના હાથ વેતમાં,એસપીના વિદાય પહેલા જ મોટી સફળતા :અજમેર થી પરત આવતી વખતે આરોપીઓ પકડાયા હોવાની ચર્ચા: રાજકોટના ઈસમે આપી હતી ટિપ્સ

- Advertisement -
- Advertisement -

મોરબી માં ગત તા. 31માર્ચના રોજ સવારે 7 30 વાગ્યાની આસપાસ મનીષ વિરજીભાઈ પટેલ નામના વ્યક્તિ વાપી થી આવેલ રૂપિયા 1.20 કરોડ નું પાર્સલ લેવા આવ્યા હતા ત્યારે દલવાડી સર્કલ નજીક જ પહેલાં થી જ વોચ ગોઠવીને બેઠેલા ચાર બુકાની ધારીઓ એ સફેદ કલરની હ્યુનડાઇ વેન્યુ કારમા આવી પાર્સલ લેવા આવેલા ફરિયાદી મનીષ પટેલને ધમકાવી સ્વીફ્ટ ડિઝાઇર કાર ને આંતરીને રોડક રકમનું પાર્સલ લઈને હવામાં ઓગળી ગયા હતા આ ઘટનાની જાણ થતાં એસપી સુબોધ ઓડેદરા એ ત્વરિત નિર્ણય લઈને તમામ જીલ્લાઓમાં નાકાબંધી કરાવી જુદી જુદી ટિમો બનાવી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાડી ની તપાસ કરતા કરતા પોલીસની ટિમોએ સર્ચ હાથ ધર્યું હતું જેમાં 31 માર્ચ બાદ 1 એપ્રિલના રોજ એલસીબી ને સફળતા મળી હતી અને એક શંકાસ્પદ ઇમરાન નામના ઈસમની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આરોપીઓ હળવદ બાજુ ગયા હોવાની પોલીસને મળી હતી માહિતી

આ લૂંટની ચકચારી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ હળવદ બાજુ ગ્રામ્ય વિસ્તારોના રસ્તે ગયા હોવાની માહિતી મળતા એલસીબી એસઓજી ટેકનીકલ સેલ ની ટિમો ને દિશા મળી ગઈ હતી બાદમાં પોલીસે હળવદના સુન્દરગઢ ગામની આજુબાજુ સર્ચ કર્યું હતું પરંતુ આરોપીઓ પોલીસને ચકમો આપવામાં કામયાબ રહ્યા હતાજો કે પોલીસ આરોપીઓથી એક પગલું જ દૂર હતી જેનાથી લૂંટારાઓ અજાણ હતા.

તપાસ ની એસપી ઓડેદરા પળે પળ ની માહિતી મેળવી રહ્યા હતા
આ ઘટના બાદ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે પોતાની તમામ શક્તિ લગાડી આરોપીઓને પકડવા અનિવાર્ય હતાં આ ઘટનાનું શરૂઆત થી લઈને તપાસમાં એસપી સુબોધ ઓડેદરા માહિતી મેળવી રહ્યા હતા આવા સમયે પોલીસની તપાસ ટીમોને એક આશાનું કિરણ દેખાયું હતું અને એક શંકાસ્પદ આરોપી ઇમરાનની શોધખોળ હાથ ધરી હતી જેમાં આરોપીઓ વીંછીયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું હતું અને રાજકોટ ના ઈસમે ટિપ્સ આપી હોવાનુ જાણવા મળ્યું હતું જો કે વાત આટલેથી પુરી થતી ન હતી હજુ ઘણા રહસ્યો અને પુરાવાઓ એકત્રિત કરવા જરૂરી હતા આ માટે તમામ માહિતી ખાનગી રાખવામાં આવી અને મીડિયાને પણ આ માહિતીથી દૂર રાખવામાં આવ્યું હતું.

એક શકમંદ આરોપીની અટકાયત કરી તપાસનો દોર શરૂ કરાયો
આ લૂંટની ઘટનાથી રેન્જના તમામ જીલ્લાઓ માં પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા પણ આ ઘટનાની માહિતી મેળવવવામાં આવતી હતી આ સમયે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ લૂંટ કરતા પહેલા મોરબીના સીસીટીવી અને ફોનના ઉપયોગ પર ખાસ ધ્યાન રાખ્યું હતું કોઈ પણ સીસીટીવી કે સીડીઆર ડિટેલ્સમાં પણ આરોપીઓ ટ્રેસ થતા નહોતા આ સમય દરમ્યાન પોલીસને ખાનગી રીતે એક ઈસમની માહિતી મળી હતી આ ઇસમ એક ખાનગી બસનો ક્લીનર હતો જે આ રૂપિયાની લેવડ દેવડથી લઈને તમામ પ્રક્રિયા જાણતો હતો તેને આરોપીઓને ટિપ્સ આપી હોવાનું પોલીસને માહિતી મળતા પોલીસે આ શકમંદ ઇમરાન નામના પર એક એપ્રિલથી નજર રાખી રહી હતી જુદી જુદી 10 ટીમો આ લૂંટારુઓનું પગેરૂ મેળવવા કામે લાગી હતી જેમાં એક ઇસમ પરથી આખી લૂંટનો પર્દાફાશ થયો હતો જેમાં આરોપીઓ લૂંટની ઘટનાને અંજામ આપી અજમેર નાસી ગયા હતા જ્યાંથી પરત આવતી વખતે મોરબી પોલીસે આરોપીઓને પકડી પાડ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને લૂંટનો મુદામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે લૂંટાયેલ મુદામાલ રિકવર બાદ સતાવાર રીતે આ લૂંટના ભેદની મોડ્સ ઓપરેન્ડી જાહેર પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યું છે.

આરોપીઓ સાયબર અને ટેકનીકલ સિસ્ટમનો ઉપયોગ થી દુર રહ્યા જેથી પોલીસમાટે આ એક ચેલેન્જ હતી
લૂંટારુઓ એ આ લૂંટને અંજામ આપતી વખતે સીસીટીવી અને ટેકનીકલ કારણોનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું હોવાનું મનાય છે કેમ કે પોલીસનું સૌથી ઝડપી ગુના ઉકેલવા માટે ગણાતું શસ્ત્ર ટેકનીકલ સિસ્ટમ છે પરંતુ આ લૂંટારુઓ સીસીટીવી માં કે ફોન ટ્રેસમાં પણ ક્યાંય ટ્રેસ થવાની ભૂલ નહોંતી કરી આથી આરોપીઓ સુધી પહોંચવા મોરબી પોલીસની ટીમોને વધુ સમય લાગી ગયો હતો જો કે દરેક આરોપી એક તો પુરાવો છોડી અને એક ભૂલ કરી જ જાય છે એ જ રીતે આ લૂંટમાં પણ આરોપીઓ એક ભૂલ કરી ગયા જેનો મોરબી પોલીસની ટીમોએ પૂરો લાભ લઈ લૂંટારુઓ સુધી પહોચવા માં સફળ રહી હતી.જો કે લૂંટનો મુદામાલ આવે એ પહેલાં જ એસપી સુબોધ ઓડેદરાની બદલી સીઆઇડી ક્રાઇમમાં એસપી તરીકે થઈ હતી અને તેઓ મીડિયા માં જાહેર કરવા પર રાહ જુઓ નીતિ અપનાવી હતી કેમ કે મીડિયામાં જાહેર થવાથી લૂંટની તપાસને નુકશાન થાય તેવું તેઓ માનતા હતા અને તેઓ નહોતા ઈચ્છતા કે આવું બને આથી પૂર્ણ મુદમાલ સાથે જ પ્રેસ કોંફરન્સ કરવાનું વિચાર્યું હતું જો કે હવે મોરબી જીલ્લાના નવા એસપી રાહુલ ત્રિપાઠી આજથી ચાર્જ સાંભળશે જે આ લૂંટનો આગળની તપાસનો દોર આગળ ધપાવશે તેવું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલ આ ઘટનાને પાંચથી છ આરોપીઓએ કઈ રીતે અંજામ આપ્યો ? શુ અગાઉ રેકી કરી હતી કે કેમ ? આરોપીઓ મોરબીના વ્યક્તિના સંપર્ક માં હતા કે કેમ ? શુ આરોપીઓએ અન્ય કોઈ શહેર માં આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ ? આવા અનેક સવાલોના જવાબ ટૂંક સમયમાં જ બહાર આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!