Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી પર્વ ઉજવાશે

મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી પર્વ ઉજવાશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની જન્મજયંતિ રામનવમી આગામી તા.૧૦-૪-૨૦૨૨ રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવા અંગે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાંજે ૪ કલાકે રામધૂન, ૫ કલાકે સર્વજ્ઞાતિય ૫ થી ૧૨ વર્ષ ના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ રામભક્તો માટે મહાપ્રસાદ યોજાશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

નિશુલ્ક અને સર્વજ્ઞાતિય વેશભુષામાં બાળકોએ પ્રભુ શ્રી રામનો વેશ ધારણ કરવા લનો રહેશે તેમજ ૨ મીનીટમા પોતાનુ વ્યક્તવ્ય આપવાનુ રહેશે. દરેક સ્પર્ધકોને ઈનામો પણ અર્પણ કરવામા આવશે. સ્પર્ધામા ભાગ લેવા માટે તા.૮-૪-૨૦૨૨ શુક્રવાર સુધી રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે જે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના અગ્રણી કૌશલભાઈ જાની- મો.૭૦૬૯૬૭૫૨૧૯ તથા હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫નો સંપર્ક કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના મંત્રી નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!