Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેરના સીંધાવદર ગામે ગાળો બોલવાના મામલે બે પરિવારો વચ્ચે અથડામણ, સામસામી ફરિયાદ...

વાંકાનેરના સીંધાવદર ગામે ગાળો બોલવાના મામલે બે પરિવારો વચ્ચે અથડામણ, સામસામી ફરિયાદ નોંધાઈ

મારામારીનાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સીંધાવદર ગામે રહેતા કેતનભાઇ રતીલાલ ચાવડા (ઉ.વ. ૨૩)એ આરોપીઓ ભગવાનજીભાઇ કિશોરભાઇ મકવાણા, જતીનભાઇ કિશોરભાઇ મકવાણા, સુજલભાઇ દિનેશભાઇ મકવાણા, લલીતભાઇ જેઠાભાઇ મકવાણા, રવીભાઇ કિશોરભાઇ મકવાણા (રહે.બધા સીંધાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૧ ના રોજ એક આરોપી બજારમાં ગાળો બોલતો હોય જેને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેઓ અન્ય આરોપીઓને બોલાવી તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી લાકડી વડે માર મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જ્યારે સામાપક્ષે ફરિયાદી ભગવાનજીભાઇ કિશોરભાઇ મકવાણા (ઉ.વ. ૨૮)એ મોહીતભાઇ નટુભાઇ ચાવડા, નટુભાઇ કલાભાઇ ચાવડા, કેતનભાઇ રતિલાલ ચાવડા, મયુરભાઇ નટુભાઇ ચાવડા, ગોમીબેન નટુભાઇ ચાવડા, રતીલાલ નાનજીભાઇ ચાવડા, ગીતાબેન જીવણભાઇ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કેતન રતિલાલ ચાવડા સાહેદ સુજલ દીનેશભાઇ મકવાણાને ગાળો બોલતો હોય જેને સમજાવવા જતા અને ગાળો બોલવાની ના પાડતા તમામ આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી તથા સાહેદને લોખંડનો પાઇપ તથા લાકડી ધોકા વડે માર મારી ઇજાઓ કરી ફરીયાદીની કારનો કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!