Sunday, May 5, 2024
HomeGujaratમાળિયા(મી.) તાલુકાનાં ખાખરેચી ગામમાં પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન : ગ્રામપંચાયતની સત્તાવાર જાહેરાત

માળિયા(મી.) તાલુકાનાં ખાખરેચી ગામમાં પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન : ગ્રામપંચાયતની સત્તાવાર જાહેરાત

માળિયા(મી.) તાલુકાના નાના એવા ખાખરેચી ગામે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવી રહ્યા છે. પણ સરકારી ચોપડે આ કેસ દર્શાવવામાં આવી ન રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સમસ્ત ગ્રામજનોએ જાગૃતી દાખવી તકેદારીનાં ભાગરૂપે કોરોનાને નાથવા જહેમત ઉઠાવી છે. ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે સત્તાવાર રીતે પાંચ દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના જાહેર કર્યા મુજબ ગામમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન માત્ર સવારે ૮ થી ૧૧ વાગ્યા દરમ્યાન જ ખોલી શકાશે. જ્યારે દવાખાના તેમજ મેડિકલ સેવા અને અતિ આવશ્યક સેવા દિવસભર ચાલુ રાખી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!