Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં ઈદ,પરશુરામ જયંતી નિમિતે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ તથા ફલેગમાર્ચ યોજાઈ

મોરબીમાં ઈદ,પરશુરામ જયંતી નિમિતે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ તથા ફલેગમાર્ચ યોજાઈ

મુસ્લિબ બિરાદરોના પવિત્ર તહેવાર ઇદના અને પરશુરામ જન્મજયંતી આ બંન્ને તહેવાર ભાઇચારથી ઉજવાય જે ને પગલે મોરબી જીલ્લાના તમામ પોલીસ મથકોના સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ઇદના તહેવાર તેમજ પરશુરામ જન્મ જયંતીના તહેવાર નિમિતે મોરબી જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે ફુટ પેટ્રોલીંગ તથા ફલેગમાર્ચ યોજાઈ હતી.વધુમાં તહેવાર દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ જે હેતુથી જનતાને સોશ્યલ મીડીયા ઉપર ઉશ્કેરણી જનક અફવાઓ ઉપર ધ્યાન નહિ આપવા પણ અપીલ કરવામાં આવેલ છે. સોશ્યલ મીડીયા જેવાકે ફેસબુક , વોસ્ટએપ , સ્નેપચેટ , ટવીટર , ઇન્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર કોઇ પણ પ્રકારના નકારાત્મક મેસેજો , વીડીયો , ફોટા , લખાણ મુકતા અસામાજીક તત્વો ઉપર મોરબી જીલ્લા સાયબર સેલ તથા પોલીસ સ્ટેશનો દ્રારા બાજ નજર રાખવમાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!