Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

મોરબીમાં અકસ્માત અને આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર પણ ચિંતામાં મૂકાઇ છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં અપમૃત્યુનાં ચાર બનાવો નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

જે અંગે પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર, મોરબીમાં વાવડી ચોકળી પાસે સત્યમ સોસાયટીમાં રહેતા પોપટભાઇ લક્ષ્મણભાઇ ગોઠી નામના ૬૯ વર્ષીય આધેડ ગત તા.૧૯/૧૨/૨૦૨૨ના રોજ પોતાના ઘરે હાજર હતા તે વખતે અચાનક પોતાને છાતીમા દુ:ખાવો થતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં મોરબીમાં કાવેરી સીરામીકની સામે પેટ્રોલીયલની ઓરડીમાં રહેતા અને મૂળ બનાસકાંઠાના રમેશભાઈ કાળુભાઈ રાવલ નામના આધેડે મોરબી માળીયા ને.હા.રોડ ઉપર કાવેરી સીરામીક સામે આવેલ ભારત પેટ્રોલીયમ પેટ્રોલ પંપની પાછળ આવેલ રૂમમાં પોતાની રીતના ગળાટુપો ખાઈ જતા આત્મહત્યા કરી લીધેલ હાલતમાં હોય જે અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસને જાણ અકરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહ નીચે ઉતારી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે ત્રીજા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર ઘર્મમંગલ ૨ માં રહેતા હરેશભાઇ કનૈયાલાલ વસીયાણીને ગઈકાલે સવારથી છાતીમાં દુખાવો થતો હોઇ જેથી તેને સારવાર અર્થે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

જયારે ચોથા બનાવમાં હળવદના નવા માલણીયાદમાં રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર નામના ૫૬ વર્ષીય આધેડ મોબાઈલમાં વાત કરતા કરતા અચાનક પોતાની જાતે ટ્રેકટરની ટ્રોલીની નીચે પડી જતાં કચડાઈ ગયા હતા ત્યારે આસપાસના લોકોએ તાત્કાલિક તેમને સારવારમાં ખસેડ્યા હતા. પરંતુ આધેડને પ્રાથમિક સારવાર મળે તે પહેલા તેમનું કરુણ મોત નીપજ્યું છે. જેને લઇ હળવદ પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!