Monday, May 6, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ, પિતાએ ગુટખા ખાવાની ના પાડતા પુત્રનો આપઘાત

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ, પિતાએ ગુટખા ખાવાની ના પાડતા પુત્રનો આપઘાત

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ જુદા જુદા પોલીસ મથકમાં જાહેર થયા છે. ટંકારા પંથકના લજાઈ ગામે પિતાએ ગુટખા ખાવાની ના પાડતા પુત્રનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પોલીસમાં જાહેર થયુ હતુ.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયાં હતા જેમાં ટંકારા પંથકના લજાઈ ગામે કારખાનામાં કામ કરતા મગનસિધ ગલીયાભાઈ ભુરિયાએ પોતાના પુત્ર આશિષને ગુટખા ખાવાની ના પાડતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બીજા એક બનાવમાં વાંકાનેર નજીક અમરસર ફાટક પાસે ટ્રેન હડફેટે પરેશભાઈ રમેશભાઈ નંદેસરીયાનુ મોત નીપજયાનુ જાહેર થયુ છે.

જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના ઉચી માડલ ગામે મારવેલના સીરામીકના કારખાનામાં કામ કરતા અમરસિંહ બાબુસિહ( ઉ. વ. ૨૧)ને પેટમાં દુખાવો થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા હતા તે દરમ્યાન રસ્તામાં જ મોત નીપજ્યાનુ પોલીસ ચોપડે નોધાયું હતુ.

અન્ય એક ચોથા બનાવમાં માળીયા નજીક મુળજીભાઈ પાચાભાઈ મકવાણા પોતાના બાઈક નં. GJ 36 TM 4330 લઈને જતા હોય અને ગફલતભરી રીતે ચલાવતા ડમ્પરના પાછળના ભાગે અથડાતા મોત નીપજયુ હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!