Sunday, May 19, 2024
HomeGujaratરૂપિયાની લેતીદેતી બાબતે વેપારીઓ વચ્ચે ધબધબાટી: ચાર શખ્સોએ વેપારીને લમધારી મારી નાખવાની...

રૂપિયાની લેતીદેતી બાબતે વેપારીઓ વચ્ચે ધબધબાટી: ચાર શખ્સોએ વેપારીને લમધારી મારી નાખવાની ધમકી આપી

મોરબી શહેરના ગઢની રાંગ પાસે આવેલી દુકાનમાં એક વેપારી રૂપિયા આપવા ગયા હતા તે દરમિયાન રૂપિયાની લેતીદેતી બાબતે ડખ્ખો થતા વેપારી કાકા-ભત્રીજા અને બે કારીગરોએ માર મર્યાની અને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર રોડ પર આવેલ નવા યદુનંદન સોસાયટીમાં રહેતા વેપારી રામપ્રતાપ દીનકરભાઇ ઝાલા (ઉવ ૨૮) રાજલક્ષ્મીનામની દુકાનમા નીરવ પટેલને હીસાબના પૈસા આપવા માટે ગયા હતા. જે દરમિયાન રૂપિયાની લેતીદેતી
બાબતે માથકુટ થતા વેપારી નીરવ પટેલ તથા તેના કાકા અને બે કારીગરોએ બોલાચાલી કરી રામ પ્રતાપને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ધોકા વડે છાતીમાં તથા વાસાના ભાગે મુંઢ ઇજા કરી હતી આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા રામપ્રતાપે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!