Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાં આવતીકાલે માઁ કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડનાં લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન...

હળવદમાં આવતીકાલે માઁ કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડનાં લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન

આવતીકાલે તારીખ ૨૦/૦૭/૨૦૨૧ ને રવિવાર ના રોજ હળવદ શહેરમાં આવેલ જીવન જ્યોત હોસ્પિટલ (દરબાર નાકા) ખાતે આયુષ હોસ્પિટલ મોરબીના નિષ્ણાંત તબીબો દ્વારા માઁ કાર્ડ તેમજ આયુષમાન ભારત કાર્ડ ધારક દર્દીઓ માટે સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી વિના મૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ માં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન ( ઢીંચણ ના સાંધા ના દુઃખાવાના ઓપરેશન ) , ઓર્થોસ્કોપી ઓપરેશન (સાંધા ના જટિલ ઓપરેશન કે જે દૂરબીન દ્વારા વાઢ કાપ વગર થાય છે ) , હાડકા ના વિવિધ ઓપરેશન , એપેન્ડિક્સ – સારણ ગાંઠ – હરસ મસા ભગંદર જેવા સર્જરી ના ઓપરેશન , યુરો સર્જરી ના ઓપરેશન ( કિડની તથા પેશાબ ને લગતી સમસ્યા ના ઓપરેશન ) , સ્ત્રી રોગ ને લગતા ઓપરેશન ( ગર્ભાશય ની કોથળી કાઢવાના ઓપરેશન ) ઉપરોક્ત રોગ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ નું આયોજન કર્યું છે તો આ વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનો લાભ લેવા હળવદ તાલુકાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. અગાઉથી નામ નોંધવા માટે 92 28 108 108 પર સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પ માત્ર ઓપરેશન કરાવવું પડે તેવા દર્દી નારાયણ માટે જ છે. અગાઉ કોઈપણ દવાખાના માં તપાસ તેમજ નિદાન થઈ ગયું હોય તેવા દર્દી નારાયણ એ જ આવવું અને જૂની ફાઇલ તથા વિગત સાથે લઈને જવાનું રહેશે. આ કેમ્પ માં કોરોના ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!