Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના રાતાવિરડા નજીક આગની ઘટનાને પગલે જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ

વાંકાનેરના રાતાવિરડા નજીક આગની ઘટનાને પગલે જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા નજીક પેપરમિલમાં ભભૂકી ઉઠેલી આગની ઘટનાને લઈને જીપીસીબીની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગના કારણે પર્યાવરણને કેટલું નુકશાન થયું અને આગ સંપૂર્ણ કાબુ આવ્યા બાદની સ્થિતિ અંગેનો રિપોર્ટ મેળવવામાં આવશે.ગઈકાલે 3:45 વાંકાનેર પંથકની પેપર મિલમા લાગેલી આગને લઈને ધુમાડાના ગોટે ગોટા નીકળતા પર્યાવરણને મોટું નુકસાન થયું છે ત્યારે આ અંગે જીપીસીબી અધિકારી કે.બી.વાઘેલા એ માહિતી આપતા જણાવ્યું હતું કે આગથી પર્યાવરણની નુકસાનીનો તાગ મેળવવા બાજુની ફેક્ટરીમાં મશીન ગોઠવીને ચાલુ કરી દીધું છે અને આગ સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ રિપોર્ટ મેળવી ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!