Friday, April 19, 2024
HomeGujaratહળવદ : માઇનોર કેનાલમાં ગેરકાયદેસર જોડાણ કરી પાઇપલાઈનને નુકસાન કરનાર બે ખેડૂતો...

હળવદ : માઇનોર કેનાલમાં ગેરકાયદેસર જોડાણ કરી પાઇપલાઈનને નુકસાન કરનાર બે ખેડૂતો વિરુદ્ધ ગુનો નોંધાયો

હળવદ સિંચાઈ વિભાગના મોહનભાઇ ગુરજીભાઇ રાઠવાએ આરોપીઓ વીરજીભાઇ ત્રીભોવનભાઇ દલવાડી તથા રમેશભાઇ ત્રીભોવનભાઇ દલવાડી (રહે. બન્ને અંબારામ પંચર સર્વીસ, તા. હળવદ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૧ ફેબ્રુઆરી પહેલા કોઇપણ વખતે આરોપીઓએ હળવદ માઇનોર -૧ માથી નિકળતી સબ માઇનોર 2A-HVM-01 ની પાઇપ લાઇનમા અન-અધીકૃત રીતે ગેરકાયદેસર ટી જોડાણ કરી પોતાના ખેતર સર્વે નંબર ૨૦૫૬ તથા ૨૦૫૭ મા પીયત માટે પાણીનો પ્રવાહ રોકી પાઇપ લાઇનમાં સરકારી સંપતીને રૂ.૧૧,૨૦૦/- નુ નુકશાન કર્યું હતું. આ બનાવની ફરિયાદનાં આધારે હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!