Sunday, May 5, 2024
HomeGujaratભારતના નવા સાંસદ ભવનમાં સ્થાપિત થયેલ ૭૫ વર્ષ પેહલા બનેલા ઉપરના છેડે...

ભારતના નવા સાંસદ ભવનમાં સ્થાપિત થયેલ ૭૫ વર્ષ પેહલા બનેલા ઉપરના છેડે નંદિ ની પ્રતિકૃતિ વાળા રાજદંડ સેંગોલ વિશે મહત્વની જાણકારી

દેશના નવા સંસદ ભવનમાં આજે સ્થાપિત કરવામાં આવેલા રાજદંડ સેંગોલને 75 વર્ષ પહેલા વુમ્મિદી બંગારૂ ચેટ્ટી પરિવારના 97 વર્ષીય વુમ્મિદી એથિરાજે બનાવ્યુ હતું. નવા સંસદ ભવનના ઐતિહાસિક રાજદંડ સેંગોલની સ્થાપનાના અવસરે વુમ્મિદી એથિરાજ પણ આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

વુમ્મિદી બંગારૂ ચેટ્ટી પરિવારના 97 વર્ષિય વુમ્મિદી એથિરાજે જણાવ્યું કે, આ ખુબ ગર્વની ક્ષણ છે. વુમ્મિદી બંગારૂ જ્વેલર્સના ચેરમેન વુમ્મિદી સુધાકરે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે વડાપ્રધાન મોદીએ આજે નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ સ્થાપિત કર્યો. 75 વર્ષ પહેલા અમારા પરિવારે સેંગોલ બનાવ્યું હતું.

તમિલનાડુ સાથે નાતો ધરાવતા અને ચાંદીમાંથી બનેલા અને સોનાનો ઢાળ ચડાવેલા ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) ને ઓગસ્ટ 1947માં સત્તા હસ્તાંતરણના પ્રતિક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આપવામાં આવ્યો હતો. આ રસ્મી રાજદંડ અલ્હાબાદ સંગ્રહાલયની નહેરૂ દીર્ધામાં રાખવામાં આવ્યું હતું.

નવા સંસદ ભવનના ઉદ્ધાટનના અવસરે ઈશ્વરના આશિર્વાદ લેવા માટે કર્ણાટકના શ્રૃંગેરી મઠના પુજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારણ વચ્ચે ગણપતિ હોમ અનુષ્ઠાન કર્યું. વડાપ્રધાન મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું અને ઐતિહાસિક રાજદંડ સેંગોલને લોકસભાના અધ્યક્ષની સીટની બાજુમાં સ્થાપિત કર્યો.

પારંપરિક પરિધાનમાં વડાપ્રધાન મોદી સંસદ ભવન પરિસરમાં પ્રવેશ્યા હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમનું સ્વાગત કર્યું, તે બાદ મોદી અને બિરલા અને મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પિત કરી હતી.

ભારત ના રાજદંડ સેંગોલ વિશે ટૂંકમાં માહિતી

ચોલ વંશના સમયથી આવા રાજદંડનો ઉપયોગ રાજાઓના રાજ્યાભિષેકમાં થતો હતો. તે ઔપચારિક ભાલા તરીકે સેવા આપતું હતું અને સત્તાનું પવિત્ર પ્રતીક માનવામાં આવતું હતું, જે એક શાસકથી બીજામાં સત્તાના સ્થાનાંતરણનું પ્રતિનિધિત્વ કરે છે. જેને `સેન્ગોલ` આપવામાં આવે છે તે ન્યાયી અને નિષ્પક્ષ શાસનની અપેક્ષા રાખે છે.

સેંગોલ આ પ્રતીક, બ્રિટિશ રાજાના પૂર્વજોની શક્તિની ચમકદાર વસ્તુઓની જેમ, એક સોનેરી પ્રભાવશાળી રાજદંડ છે જેને “સેંગોલ” કહેવાય છે (જે તમિલ શબ્દ સેમાઈ પરથી આવ્યો છે, જેનો અર્થ સચ્ચાઈ થાય છે). આ સેંગોલ, જેની ઉત્પત્તિ તમિલ ઇતિહાસ અને પરંપરાઓમાંથી શોધી શકાય છે અને જે ‘સત્તા અને ન્યાય’નું પ્રતિનિધિત્વ કરે છે, તે ટૂંક સમયમાં સંસદના અધ્યક્ષની બેઠકની નજીકના ગૌરવ સ્થાન પર સ્થાપિત કરવા બહાર કાઢવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેને ઔપચારિક રીતે નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

ભારતની આઝાદી સાથે સેંગોલનું વિશેષ જોડાણ

દેશને આઝાદી મળી હતી. હવે માત્ર ઔપચારિકતાઓ પૂરી કરવાની હતી. દરમિયાન, એક દિવસ છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને (Louis Mountbatten) જવાહરલાલ નેહરુને (Jawaharlal Nehru) એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, જેમને વડાપ્રધાન પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું મિસ્ટર નેહરુ સત્તાના હસ્તાંતરણ સમયે તમને શું ગમશે? કોઈ વિશિષ્ટ પ્રતીક અથવા ધાર્મિક વિધિનું પાલન કરશો? જો કોઈ હોય તો અમને જણાવો. આ પછી નેહરુ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓને કંઈ સમજાયું નહીં. વિદ્વાન નેહરુએ સપનામાં પણ આ વિચાર નહોતો કર્યો.

અત્યારસુધી સેંગોલ ક્યાં રાખવામાં આવ્યું હતું?

તે 1947 થી અલ્હાબાદના એક સંગ્રહાલયમાં સાચવેલું હતું.

ભૂતકાળમાં સેન્ગોલે શું મહત્વ હતું?

ચોલ વંશના સમયથી આવા રાજદંડનો ઉપયોગ રાજાઓના રાજ્યાભિષેકમાં થતો હતો. તે ઔપચારિક ભાલા તરીકે સેવા આપતું હતું અને સત્તાનું પવિત્ર પ્રતીક માનવામાં આવતું હતું, જે એક શાસકથી બીજામાં સત્તાના સ્થાનાંતરણનું પ્રતિનિધિત્વ કરે છે. જેને ‘સેન્ગોલ’ આપવામાં આવે છે તે ન્યાયી અને નિષ્પક્ષ શાસનની અપેક્ષા રાખે છે.

સેંગોલ કોને આપવામાં આવ્યું હતું?

સેંગોલ તૈયાર થયા પછી પૂજારીઓએ તેને ગંગાજળથી અભિષેક કરાયો હતો. ગૃહ પ્રધાન શાહે પત્રકારોને જણાવ્યું હતું કે, “14 ઓગસ્ટ, 1947ના રોજ રાત્રે લગભગ 10.45 વાગ્યે, સ્વર્ગસ્થ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને તમિલનાડુમાંથી આ સેંગોલ મળ્યો હતો અને ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમણે આઝાદી હાંસલ કરવાના પ્રતીક તરીકે સ્વીકાર્યું હતું. બ્રિટિશરો પાસેથી આ દેશના લોકોમાં સત્તા પરિવર્તનની નિશાની છે.” રાજદંડ સોંપવામાં આવ્યો ત્યારે એક વિશેષ ગીત રચવામાં આવ્યું અને રજૂ કરવામાં આવ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!