Monday, April 29, 2024
HomeGujaratમોરબી ખાતે હનુમાનજી ચાલીસા કથામાં આજે 'મારા દાદાને મારી કેક' ઉત્સવ યોજાશે

મોરબી ખાતે હનુમાનજી ચાલીસા કથામાં આજે ‘મારા દાદાને મારી કેક’ ઉત્સવ યોજાશે

મોરબીના સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલ પાછળ, આવેલ રવાપર, ધૂનડા રોડ મોરબી ખાતે મોરબી સતસંગ સમાજ દ્વારા ધાર્મિક માહોલમાં શ્રી હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તોએ ભજન, ભોજન અને ભક્તિનો લાભ લઇ રહ્યા છે. પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) વ્યાસાસને બિરાજી કથાનું રસપાન કરાવી રહયા છે. ત્યારે આજે આ ધાર્મિક કાર્યક્રમમાં આજે તા.૩૦ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે હનુમાનજી મહારાજના પ્રાગટયોત્સવ નિમિતે આપણી કેક ધરાવીએ મારા દાદાને મારી કેક અંતર્ગત કાર્યક્રમ યોજાશે. જેમાં ભક્તો દાદા માટે કેક લાવી શકે છે. ઉપરાંત ભવ્ય અન્નકુટ ઉત્સવ પણ ઉજવાશે જેમાં મીઠાઈ ફરસાણ સહિત ૧૬૯ વસ્તુઓનો ઠાળ ધરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!