Friday, April 19, 2024
HomeGujaratમાળીયાના ખાખરેચી ગામે પતિએ સાથે ન જમતા પત્નીએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

માળીયાના ખાખરેચી ગામે પતિએ સાથે ન જમતા પત્નીએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

મોરબી જિલ્લામાં અપમૃત્યુનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામેં રહેતા તેજલબેન ગૌતમભાઇ ઉર્ફ ગોપાલભાઇ કોળી નામની ૨૦ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરના રૂમમા સીલીંગ પંખા સાથે સાડી વડે ગળે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાનુ મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું. આથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ગૌતમભાઇ ઉર્ફે ગોપાલભાઇ (ઉ.વ ૨૨) પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

નિવેદનમાં જાહેર થયા પ્રમાણે મૃતક પરિણીતા દરરોજ પોતાના પતિ સાથે બેસીને જમતા હતા આ દરમિયાન ગત તા. 10 ના રોજ તેના પતિની તબીયત ખરાબ હોવાથી સાથે જમ્યા ન હતા. આ બાબતને લઈને પરીણીતાને ખોટુ લાગી ગયું હતું. જેથી તેજલબેને પોતાના ઘરના રૂમમા સીલીંગ પંખા સાથે સાડી વડે ગળે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાનુ મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કરતા માળીયામીં પોલીસે મૃતદેહ નો કબજો સાંભળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!