Saturday, April 20, 2024
HomeGujaratહળવદ ના મયુરનગર ગામે પરિણિતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

હળવદ ના મયુરનગર ગામે પરિણિતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી જિલ્લા માં આજે સોમવારે જાણે કાળો કહેર વર્તાવ્યો હોય એમ એક પછી એક એમ આજ ના દિવસે અત્યારસુધી માં અપમૃત્યુ ના  ચાર બનાવ નોંધાઇ ચુક્યા છે જયારે પાંચમો બનાવ હળવદ ના મયુર નગર ખાતે બન્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદ ના મયુર નગર ગામે રહેતા સરોજબેન નિકુલભાઈ દલવાડી નામની પરિણીતા એ બપોરે દોઢ વાગ્યા ની આસપાસ ઘર નો દરવાજો અંદરથી બંધ કરીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા નાના એવા મયુર નગર ગામ માં અરેરાટી વ્યાપી ગઈ હતી.પરિણીતા ના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને પરિણિતાને એક વર્ષનુ સંતાન પણ છે જેમાં નિર્દોષ સંતાને માતાની છત્રછાયા ગુમાવી હતી બનાવ ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલવાડી સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.

આ બનાવ ની જાણ હળવદ પોલીસ ને થતા મૃતદેહ ને હળવદ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!