Monday, April 29, 2024
HomeGujaratતરઘરીથી નાના દહિસરાને જોડતા માર્ગનું કામ મંજુર કરાવવા યુવા સરપંચની રાજયમંત્રીને રજુઆત

તરઘરીથી નાના દહિસરાને જોડતા માર્ગનું કામ મંજુર કરાવવા યુવા સરપંચની રાજયમંત્રીને રજુઆત

માળીયા (મી) તાલુકાના તરઘરી ગામેને સુવિધાસભર બનાવવાની નેમ સાથે તાજેતરમાં જ સરપંચ તરીકેનો ચાર્જ સાંભળનાર યુવા અને જાગૃત સરપંચ સાગરભાઈ ફુલતરીયાએ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિત રજુઆત કરી માળીયા મિયાણાં તાલુકાના તરઘરી ગામથી નાના દહીંસરાને જોડતા માર્ગના જોબ નંબર આપી કામ તાત્કાલિક શરૂ કરાવાની માંગ ઉઠાવી છે.

- Advertisement -
- Advertisement -

તરઘરીથી નાના દહીંસરા ભેલા બગસરા થી નવલખીને જોડતા રોડનું કામ સ્તવરે શરૂ કરવા ગ્રામ પંચાયત અને કૌશલ્ય મંત્રી બ્રિજેશ ભાઈ મેરજાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી લેખિત તથા મૌખિક રજુઆત કરી રજુઆતમાં સરપંચ સાગરભાઈ જણાવ્યું હતું કે, માળીયાના તરઘડી ગામથી નાના દહીંસરા ગામને જોડતા ચાર કિમી માર્ગને નવોનકોર બનાવવાની મંજૂરી મળતાની સાથે જ ડે. ઈજનેર દ્વારા દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવી છે. જેમાં આ માર્ગ પર ભાવપર, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ચાંચાવદરડા, તરઘડીથી નવલખી પોર્ટ પર મજૂરી કરવા જતા શ્રમિકોને મોટા દહીંસરા ખાતે આવેલ બેન્ક ઉપરાંત જીવન જરૂરી વસ્તુઓ માટે સતત આવાગમન રહે છે. જેને ધ્યાને લઇ આ રોડનું કામ આગળ વધારવામાં આવે તો લોકોને આર્થિક ફાયદો અને સુવિધા વધારો થઈ શકે છે તો આજુબાજુના હજારો ગ્રામજનોના હિતમાં નિર્ણય લઈ આ રોડને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તેવી અંતમાં સાગરભાઈએ રજુઆત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!